રૈયારોડ પર ૧૭ વર્ષની સગીરાએ ફાસો ખાઈ કરી આત્મહત્યા - At This Time

રૈયારોડ પર ૧૭ વર્ષની સગીરાએ ફાસો ખાઈ કરી આત્મહત્યા


રાજકોટમાં રૈયારોડ ઉપ૨ નાગરીક બેંકની પાછળ કિસ્મતનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા આગળની તપાસ હાથધરી છે.
વિગત અનુસાર રૈયા રોડ પર કિસ્મતનગરમાં રહેતી ખુશી રાજાભાઈ પરચુંડા (ઉ.વ.૧૭)નામની સગીરાએ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં પંખાના હુંકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપધાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે આ પરિવારે બનાવની જાણ ૧૦૮ની ટીમે કરતા તેમને ખુશીબેનને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યુ છે.બનાવ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે,મૃત્યુ પામનાર એક ભાઈ એક બહેનમાં નાની હતી અને પિતા નિવૃત જીવન જીવે છે. તેણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.