મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરીયા મહાદેવ અને રણછોડજી મંદિરએટલે કે માછીનાં નાધરા તરફ જતા રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરીયા મહાદેવ અને રણછોડજી મંદિરએટલે કે માછીનાં નાધરા તરફ જતા રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ મુનપુરીયા મહાદેવ અને રણછોડજી મંદિર એટલે કે માછીનાં નાધરા તરફ જતા રસ્તા પર ગંદકી નું સામ્રાજ્ય.
માછીના નાધરા ગામ પાસે પૌરાણિક મુનપુરીયા મહાદેવ અને રણછોડજી નું મંદિર આવેલું છે આ સ્થળ મહીસાગર નદી કિનારે આવેલું હોવાથી ત્યાં શ્રદ્ધાળુઓ ની પણ અવરજવર વધુ રહે છે આ સ્થળે જતો રસ્તો જેનુ કામ લગભગ એક વર્ષ પહેલાં જ કરવામાં આવ્યુ હતું
આ રસ્તા ની બાજુમાં અંદાજે પાંચ થી સાત મકાનો આવેલા છે જેઓ ઘરવપરાશ નું ગંદુ પાણી અને પશુઓ નાં મળ મૂત્ર રસ્તા પર વેરવાથી રસ્તો થોડાજ સમયમાં ખરાબ થઈ ગયો છે આ બાબતને ગણી વાર વેલણવાડા પંચાયતમાં જાણ કરવામાં આવી છે છતા આવી જાહેર મિલકત ને નુકસાન કરે છે તેમના પર કોઈ પણ પ્રકારના પગલાં લેવામા આવતાં નથી.
આ રસ્તાપર સૂત્રો નાં જણાવ્યા મુજબ બાઈક સવાર મુસાફરો વારંવાર બાઈક સ્લિપ ખાઈ પડે પણ છે તેથી કોઈક મુસાફરો ને જાનહાનિ થાય તેવી શક્યતા પણ રહેલી છે આમેય આ રસ્તા ની આજુબાજુ દબાણો થઈ ગયેલ હોવાથી રસ્તો પણ સાંકડો છે જ્યા બે મોટા વાહનોને સાઈડ આપવામા પણ તકલીફ પડે છે,
આમ એક બાજુ ભારત સરકાર દ્વારા આવા પૌરાણિક સ્થળો ને વિકસાવવામાં આવે છે અને સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવે છે તો બીજું બાજુ આવા ગંદકી નાં સામ્રાજ્યો માં જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામા આવતાં નથી.
જો વહેલી તકે અહીં પાણીનો નિકાલ કે સોશ ખાડા બનાવવામાં ન આવે તો જાનહાનિ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.