બોટાદની મનમંદિર સ્કૂલ ધોરણ 10 નો સમ્માન અને 12 નો વિદાય સમારંભ યોજાયો - At This Time

બોટાદની મનમંદિર સ્કૂલ ધોરણ 10 નો સમ્માન અને 12 નો વિદાય સમારંભ યોજાયો


બોટાદની મનમંદિર સ્કૂલ ધોરણ 10 નો સમ્માન અને 12 નો વિદાય સમારંભ યોજાયો

શ્રી વિવેક એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મન મંદિર સ્કૂલ બોટાદ ખાતે આજે ધો 10 અને 12 ના બાળકો માટે વિદાય સમારંભમાં યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના બાળકોને પરીક્ષાની તૈયારીઓ કરવાની અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે શુભેચ્છા આપવામાં આવી હતી શાળાના બાળકોએ પોતાના વિદ્યાર્થી જીવનના અનુભવો રજૂ કર્યા હતા જ્યારે શિક્ષકોએ તેમને જીવનમાં અને પરીક્ષામાં સફળ થાય તેવી સોનેરી સલાહ આપી હતી શાળાના આચાર્ય અને ટ્રસ્ટી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શાળાના શિક્ષક વિજયભાઈ વિરજા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું શાળાના આખા સ્ટાફને બાળકો દ્વારા ગુરુ દક્ષિણા આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે બધાએ સમૂહ ભોજન લઈને વિદાય લેવામાં આવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.