શેરીયાજ ગામે આઝાદી ના અમૃતમહોત્સવ નિમિતે રાષ્ટ્રભક્તિપૂર્ણ સુંદર આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k1nneyqxmp1gzhm3/" left="-10"]

શેરીયાજ ગામે આઝાદી ના અમૃતમહોત્સવ નિમિતે રાષ્ટ્રભક્તિપૂર્ણ સુંદર આયોજન


આજ રોજ શેરિયાજ ગામે આઝાદી ના૭૫ વર્ષ અમૃત મહોત્સવ નિમિતે શેરિયાજ પ્રા.શાળા ૧૫મી ઓગસ્ટ સ્વરાજ દિવસ ઉજવતા સવારે ધ્વજવંદન પહેલા તિરંગા યાત્રા વિદ્યાર્થી ગુરજનો સાથે ભાજપ આગેવાન દાના ભાઈ ખાંભલા જોડાઇ શોર્ય ગીત સ્વાભિમાન નારા સાથે ગામમાં કાઢવામા આવી ત્યાર બાદ દાના ભાઈ ખાંભલા હસ્તે ધ્વજવંદન કરવામાં તેમજ બાળકો દ્વારા દેશભક્તિ ની કૃતિઓ રજુ કરવામાં આવી જેમા શાળા ના આચાર્ય અને તમામ શિક્ષકો એ ખૂબ જહેમત ઉઠાવી હતી આ કૃતિ ઓ રજુ કરતા બાળકો ને પ્રોત્સાહિત કરવા નિવૃત્ત શિક્ષક ભોજા ભાઈ વાડલિયા, કમલેશ ભાઈ ભાદરકા, દાના ભાઈ ખાંભલા વગેરે ગામના નાગરિક ઓએ રોકડ પુરસ્કાર પણ આપેલ આ રાષ્ટ્રિય કાર્યક્રમ મા ખૂબ ગામ લોકો ની હાજર રહેવા બદલ તેમજ કાર્યક્ર્મ સફળ બનાવવા એકજૂટ થઈ અથાક પ્રયત્ન કરવા બદલ શાળા ના તમામ શિક્ષકોને તેમજ ગામના લોકો નો ભાજપ આગેવાન દાના ભાઈ ખાંભલા એ લાખ લાખ અભિનંદન પાઠવેલ ભારત માતા કી જય

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]