તા.૩૧ જાન્યુઆરીએ બોટાદ તાલુકા (શહેર/ગ્રામ્ય) નો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે - At This Time

તા.૩૧ જાન્યુઆરીએ બોટાદ તાલુકા (શહેર/ગ્રામ્ય) નો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


તા.૩૧ જાન્યુઆરીએ બોટાદ તાલુકા (શહેર/ગ્રામ્ય) નો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

બોટાદ (ગ્રામ્ય) મામલતદાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી-૨૦૨૩ ના માસનો બોટાદ (શહેરી/ગ્રામ્ય) તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૩૧/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦: ૩૦ કલાકે તાલુકા સેવા સદન, પાળીયાદ રોડ, મામલતદાર કચેરી બોટાદ ખાતે યાજાશે.

આ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એવા પ્રશ્નો જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા. ૨૦/૦૧/૨૦૨૩ સુધીમાં રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.