આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રાથમિક શાળાઓમાં ભારતમાતાનું પૂજન કરવા આદેશ
રાજકોટમાં પૂજન થવા લાગ્યા
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષકો અને અધ્યાપકોના સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, 1 ઓગસ્ટથી તમામ સ્કૂલમાં અને કોલેજોમાં ભારત માતાનું પૂજન કરવામાં આવે જેને પગલે રાજકોટ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નિયમિત ભારત માતાનું પૂજન અને વ્યાખ્યાન યોજવા રાજ્યના શિક્ષણ વિભાગે દરેક શાળાઓને સૂચના આપી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.