સાળંગપુર ખાતે પંથકના કાઠી ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, નાગલનેશ ના આઈ માં અને અખિલ કાઠી સમાજના નવનિયુક્ત પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા. - At This Time

સાળંગપુર ખાતે પંથકના કાઠી ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, નાગલનેશ ના આઈ માં અને અખિલ કાઠી સમાજના નવનિયુક્ત પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા.


બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ દીપ બંગલો ખાતે પંથકના કાઠી ક્ષત્રિય સમાજનો નૂતન વર્ષે સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં સાળંગપુર ખાંભડા ચાચરીયા સહિતના આસપાસના ગામોના કાઠી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં નાગલનેશ ધામ ચીરોડાના પૂજ્ય આઈ મનુ માં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અખિલ કાઠી સમાજના નવ નિયુકત પ્રમુખ મુન્નાભાઈ રબારીકા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા, આ તકે સાળંગપુર ગામના સાંતુભાઈ ખાચર, વિરેન્દ્રભાઈ વિજયભાઇ ખાચર, બાબભાઈ ખાચર સહિત પંથકના કાઠી સમાજ દ્વારા આઈ મનુ માં ને ભેળીયો ઓઢાડી અને ફૂલહાર કરી પુષ્પ વર્ષા સાથે સ્વાગત સન્માન કર્યું હતું જ્યારે અખિલ કાઠી સમાજના નવનિયુક્ત પ્રમુખ મુન્નાભાઈ રબારીકા નું સાફો બાંધી ફૂલહાર કરી વિશેષ સ્વાગત સન્માન કરાયું હતું, આ પ્રસંગે આઈ મનુ માં એ સમાજના હિતમાં કાર્યો કરવાનું તેમજ સમાજના દૂષણોને દૂર કરવા સૂચન કર્યું હતું અને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા જ્યારે નવનિયુક્ત પ્રમુખે સમાજને એક થવા અને સમાજ હિતના કાર્યો કરવા સૂચન કર્યું હતું, આ સ્નેહમિલન કાર્યક્રમમાં પંથકના મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ ભોજન કરવામાં આવ્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.