પાણીના ટાંકામાં વાલ્વ બંધ કરવા ઉતરેલા યુવકનું ડૂબી જવાથી મોત - At This Time

પાણીના ટાંકામાં વાલ્વ બંધ કરવા ઉતરેલા યુવકનું ડૂબી જવાથી મોત


અમીન માર્ગ પરના અર્જુન પાર્કની ઘટનાથી અરેરાટી

ફાયર બ્રિગેડ સ્ટાફે બહાર કાઢી CPR આપ્યું પરંતુ જીવ ન બચ્યો

શહેરના અમીન માર્ગ પાસેના અર્જુન પાર્કમાં ભોં ટાંકામાં પાણીનો વાલ્વ બંધ કરવા ઉતરેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. યુવકનાં મોતથી તેની ચાર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા ગમગીની છવાઇ ગઇ હતી. જામનગર રોડ પરના સ્લમ ક્વાર્ટર્સમાં રહેતો અને છૂટક સફાઇ કામ કરતો મહેશ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.28) મંગળવારે સવારે દશેક વાગ્યે સફાઇ કામ માટે 150 ફૂટ રિંગ રોડ પર ઇમ્પિરિયલ હાઇટ્સ પાસેના અર્જુન પાર્કમાં તેમના પત્ની અનિતાબેનની સાથે ગયા હતા. પતિ-પત્ની બંને સફાઇ કામ કરી રહ્યા ત્યારે એ વિસ્તારના એક ખાનગી બંગલાનો પાણીનો ભોં ટાંકો છલકાતા બંગલામાં રહેતા મહિલાએ મહેશભાઇને ભોં ટાંકાનો પાણીનો વાલ્વ બંધ કરી દેવા કહ્યું હતું.પાણીના ટાંકામાં વાલ્વ બંધ કરવા જતા યુવકનું ડૂબી જવાથી મોત થયુ‌ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.