વિરપુર તાલુકાના રતનકુવા પાટીયા પાસે થયેલ ત્રીપલ અકસ્માતમાં એકનુ મોત.... - At This Time

વિરપુર તાલુકાના રતનકુવા પાટીયા પાસે થયેલ ત્રીપલ અકસ્માતમાં એકનુ મોત….


વિરપુર તાલુકાના વિરપુર બાલાસીનોર રોડ પર રતનકુવા પાટીયા પાસે થયેલા સ્વીટ,મારતીવાન તેમજ બાઈક સાથે થયેલા ટ્રીપલ ખકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ જ્યારે બાઇક પાછળ બેઠેલ મહિલાનો એકપગેને ફેચર થયુ હતુ જેને સારવાર માટે ખસેડાઈ હતી. વિરપુર થી બાલાસીનોર તરફ જઈ રહેલ સ્વીફટ ગાડીને ઓવરટેક કરીને નીકળેલ મારતીવાન સામેથી આવી રહેલ બાઇક જી.જે ૦૭ ઈ એચ ૦૭૫૬ ને અડફેટે લેતા બાઈક સવારને ગળાના તેમજ છાતીના ભાગે ઘુટણ પર ભારે ગંભીર ઈજાઓ પહોચતા બાઈક સવાર સુરેશભાઇ રાયજીભાઇ પરમાર લાડવેલ કઠલાલનું સ્થળ પર મોત નિપજયુ હતુ. જ્યારે બાઈકની પાછળ બેઠેલ મહિલાને ઘુટણ માં ઇજા પહોંચી હતી જ્યારે વાન ચાલકે સ્વીફ્ટ ગાડીને ખાલી સાઈડે આગળના ભાગે અથડાવી નુક્શાન પોહચાડયુ હતું વિરપુર પોલીસ સ્થળ પર પહોંચી મારુતીવાન જી જે ૦૬, એચડી ૬૦૪૮ ને કબ્જે લીધી હતી અને મરણ જનારને પી.એમ અર્થે મોકલી આપેલ વીરપુર પોલીસ દ્વારા મારુતીવાન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.