જામજોધપુર તાલુકામાં આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ યોજાયો - At This Time

જામજોધપુર તાલુકામાં આયુષ્માન તથા આભા કાર્ડ અંગેના કેમ્પ યોજાયો


ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે "આયુષ્માન ભવ" કાર્યક્રમ અંતર્ગત જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે , જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મયીબેન ગરસરના અધ્યક્ષ સ્થાને આયુષ્માન કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ PMJAY તેમજ આભા કાર્ડ ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હર્ષદીપભાઈ સુતરીયા, ગીરીશભાઈ ગરસર ગામના સરપંચ શ્રી તેમજ જિલ્લામાંથી ડો. ગુપ્તા, તાલુકા હેલ્થ ઓફિસર ઙો. અલતાફ અને ગ્રામજનો પાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડી.બી.. અપારનાથી દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પિયુષ રાવલ, નિલેષ જોષી , પ્રદીપ ભાઇ, હીરલબેન, તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.