શ્રી જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ - ગુજરડા દ્વારા ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત શ્રી પરેશકુમાર હિરાણી નું સન્માન કરાયું - At This Time

શ્રી જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ – ગુજરડા દ્વારા ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત શ્રી પરેશકુમાર હિરાણી નું સન્માન કરાયું


તા. ૨૫/૨/૨૦૨૩ નાં રોજ શ્રી જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરડા મુકામે આત્મા માલિક ઉચી ઉડાન કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુ ના વરદહસ્તે ચિત્રકુટ એવોર્ડ થી સન્માનિત પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ( મ.શિ. શ્રી પરવડી બ્રાન્ચ શાળા ) નું વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ.મહેમાનો અને સંતો ની વિશેષ ઉપસ્થિતિ માં શ્રી જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ પરિવાર દ્વારા સંસ્થાના નિયામક માનનીય અશોકભાઈ પટેલ નાં વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
તથા શિક્ષણક્ષેત્રે પરેશકુમાર હિરાણી જે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે તેને બિરદાવવામાં આવી હતી.તથા ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શ્રી જંગલી મહારાજ આશ્રમ ટ્રસ્ટ પરિવાર નો વંદન સાથે પરેશકુમાર હિરાણી એ આભાર વ્યક્ત કર્યો હતો

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.