બોટાદ ગોકળીયાનાથ ની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ અને આગેવાનોએ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલહાર કરી ઉજવણી કરી - At This Time

બોટાદ ગોકળીયાનાથ ની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ અને આગેવાનોએ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલહાર કરી ઉજવણી કરી


બોટાદ શહેરમાં આવેલ ગોકળિયા નાથની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલ તેમજ આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી ની જન્મ જયંતી નિમિત્તે બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને ફૂલહાર કરી જન્મ જયંતીની કરાઈ ઉજવણી ભારતના ઘડવૈયા તેમજ સામાજિક સમરસતાના મહાનાયક વંચિત પંડિત વર્ગોના ઉત્થાન માટે જીવન ખપાવનારા ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકર જી ની 133મી જન્મ જયંતીની બોટાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ શહેરના ગોકળિયા નાથની જગ્યા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા વિશ્વ હિન્દુ પરિષદના સતુભા ધાધર સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને ભાજપ અનુસૂચિત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનોએ જય ભીમના નારા લગાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા ને ફુલહાર કર્યા હતા ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીની 133મી જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.