અમીન માર્ગ વિસ્તારમાંથી તરુણી બે દિવસથી લાપતા - At This Time

અમીન માર્ગ વિસ્તારમાંથી તરુણી બે દિવસથી લાપતા


શહેરમાંથી વધુ એક તરુણી ભેદી રીતે ગુમ થયાનો મામલો પોલીસમાં પહોંચ્યો છે. મૂળ નેપાળના અને અમીનમાર્ગ વિસ્તારમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના પતિ ભાવનગર પંથકમાં ચોકીદારી કરે છે જ્યારે તેને સંતાનમાં બે દિકરી પૈકી 16 વર્ષની એક દિકરી સાથે રહી ઘરકામ કરે છે, દરમિયાન તારીખ 12ના રોજ સવારે ઘરકામ કરી પરત ઘરે આવતા નાની દિકરી ઘરમાં જોવા મળી ન હતી તેનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો. આસપાસ તેમજ સગાંસંબંધીઓને ત્યા તપાસ કરવા છતાં કોઇ ભાળ નહીં મળતા માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.