આંબેડકરનગર શેરી નં. પમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જામનગર રહેતા તેના ભાઇને છેલ્લો ફોન કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. - At This Time

આંબેડકરનગર શેરી નં. પમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જામનગર રહેતા તેના ભાઇને છેલ્લો ફોન કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.


રાજકોટ 150 ફુટ રીંગ રોડ પર આવેલ આંબેડકરનગર શેરી નં. પમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી જામનગર રહેતા તેના ભાઇને છેલ્લો ફોન કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ આંબેડકરનગર શેરી નં.પમાં રહેતા કાજલબેન હિતેષભાઇ રાઠોડ (ઉ.વ.રપ) નામની પરિણીતાએ આજે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવની પરિવારને જાણ થતા 108ને ફોન કરી બોલાવતા 108ની ટીમે પરિણીતાને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ત્રણ બહેન, એક ભાઇમાં નાના હતા અને તેઓના ડ્રાઇવીંગ કામ કરતા હિતેષ સાથે ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. મૃતક ખાનગી પેટ્રોલ પંપમાં નોકરી કરતા હતા. આ બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.