બંસીધર પાર્કમાં પરિણીતા પર ચારિત્ર્યની શંકા કરી પતિ અને જેઠનો હુમલો - At This Time

બંસીધર પાર્કમાં પરિણીતા પર ચારિત્ર્યની શંકા કરી પતિ અને જેઠનો હુમલો


રામાપીર ચોકડી નજીક બંસીધર પાર્ક-1માં રહેતા શિવાનીબેન ડેનિશભાઇ દોશી (ઉ.26)ને આજે બપોરે તેના પતિ ડેનિશ અને જેઠ નિતીશે ચારીત્ર્યની શંકા કરી બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારતા શરીરે ઇજા પહોંચતા સારવારમાં સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઇજાગ્રસ્ત મહિલાના પિતાએ જણાવ્યું હતું કે, મારી પુત્રીના લગ્ન આઠ વર્ષ પહેલા ડેનીસ સાથે થયેલ હતા અને તેને સંતાનમાં એક પુત્ર છે. અવાર નવાર મારી પુત્રી પર ચારીત્ર્યની શંકા કરી તારે અન્ય પુરુષ સાથે અનૈતીક સંબંધ છે. તેમ કહી ઝઘડો કરતો હોય અને આજે ઝઘડો કરી મારમાર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.