શ્રીનાથજી સોસાયટીમાં ઘરકામ પ્રશ્ને મહિલા એડવોકેટને ઢીબી નાંખી - At This Time

શ્રીનાથજી સોસાયટીમાં ઘરકામ પ્રશ્ને મહિલા એડવોકેટને ઢીબી નાંખી


શ્રીનાથજી સોસાયટીમાં ઘરકામ કરવાના પ્રશ્ને મહિલા એડવોકેટને ઢીબી નાખ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કામ કરતી મહિલાની દેરાણીએ મહિલા તેને માર માર્યો હતો ત્યારે સામા પક્ષે મહિલા પણ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી.
અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ નવલનગર શેરી નંબર 5માં રહેતા દિવ્યાબેન રજનીશભાઈ પરમાર નામના 38 વર્ષેના મહિલા એડવોકેટ પર શ્રીનાથજી સોસાયટી શેરી નંબર 1માં રહેતી મિતલ ચૌહાણએ માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલા એડવોકેટ દિવ્યાબેનના ઘરે કામ કરવા આવતી કિરણબેનને બોલાવવા જતા તેમની દેરાણી મિતલ ચૌહાણે ગાળાગાળી કરી માર માર્યો હતો.
તો સામાપક્ષે મિતલ બેન રજનિશભાઈ ચૌહાણ નામની 20 વર્ષીય પરિણીતા પણ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. જેમાં તેણે દિવ્યાબેન પરમારે માર માર્યાનું જણાવ્યું હતું. પોલીસે સામસામે બંને ઘટનાઓની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.