ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વીજળી પડતાં 5 પશુઓ ના મોત. - At This Time

ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વીજળી પડતાં 5 પશુઓ ના મોત.


ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વીજળી પડતાં 5 પશુઓ ના મોત.
ગુજરાત માં મેઘરાજા એ તાંડવ મચાવી દીધો છે ચારેકોર વરસાદે તારાજી સર્જી છે, પ્રાપ્ત માહિતી મુજબ ઈડર તાલુકાના ચિત્રોડા ગામે વાડનાથ મહાદેવના મંદિર પાસે રહેતા અને પશુપાલન નો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા પ્રેમજી ભાઈ રબારી ગત રાત્રે તારીખ 12/7/22 ની રાત્રે પોતાના ખેતર માં હતા ત્યારે રાત્રે 8:30 વાગે અચાનક આકાશમાંથી વીજળી ત્રાટકતા વાડા માં બાંધેલા પશુઓ પૈકી 5 ભેંસો પર વીજળી પડી અને ઘટનાસ્થળે તેમના મોત થયા હતા.
કુદરતી આફત આમ અચાનક આવી પડતાં પ્રેમજી ભાઈ ના માથે જાણે આભ તૂટી પડયું જેનાથી તેઓ ઘેરા શોક માં છે.
રિપોર્ટર અમિત જોશી ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.