આજ રોજ દાંતા ના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hfurisxlzdaxzdqs/" left="-10"]

આજ રોજ દાંતા ના મોટાસડા જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો


જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ઉત્સાહી એવા ગ્રામજનોએ હાજરી આપી આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને તિલક રેવડી અને અત્તર દ્વારા સન્માનિત કરી શુભેચ્છાઓ આપવામાં આવી માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષામાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગ્રામજનો તેમજ સ્ટાફ મિત્રો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને માર્ચ 2023 ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ માટે મોટા પ્રમાણમાં ઇનામની જાહેરાતો કરવામાં આવી આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડી ટી રાઠોડ સાહેબ, શિક્ષિકા શ્રીમતી હેતલબેન રાવલ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી કકુસિંહ આંબળા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને શુભ આશિષ પાઠવવામાં આવ્યા, શાળાના વિદ્યાર્થી ઘટાડ સુનિલ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું તેમજ શિક્ષિકા રેખાબેન દ્વારા મુખ્યમંત્રી ના શુભેચ્છા સંદેશ નુ વાંચન કરવામાં આવ્યુ અંતમાં શાળાના શિક્ષક શ્રી પંકજભાઈ કે પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી શાળાના..... આચાર્યશ્રી ડી ટી રાઠોડ સાહેબે દાતાશ્રીઓ અને સર્વે સ્ટાફ મિત્રોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]