આઝાદી કા મહોત્સવ અંતર્ગત બાલાસિનોરમાં ત્રિરંગાયાત્રા યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gxzcdjo0x3jt1cys/" left="-10"]

આઝાદી કા મહોત્સવ અંતર્ગત બાલાસિનોરમાં ત્રિરંગાયાત્રા યોજાઈ


બાલાસિનોરના સલિયાવડી દરવાજા વિસ્તાર પાસે આવેલા અંબાજી માતાના મંદિર થી અમદાવાદી ચોકડી સુધી આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ભાજપના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો તિરંગાયાત્રામાં જોડાયા હતા. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી માનસિંહ ચૌહાણ બાલાસિનો પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા ના કારોબારી સભ્ય અજમેલસિહ પરમાર આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ભારત સિંહ પરમાર મહિસાગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર બાલાસિનોર શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા હાથમાં તિરગા સાથે નીકળેલી યાત્રાને જોવા લોકો ઉમટ્યા હતા. જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો પ્રદેશ હોદ્દેદારો તાલુકા અને નગરના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]