સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામમાં જમીન બાબતે બે ભાઈઓની હત્યાને હજી અઠવાડિયું પણ થયું નથી. એવામાં જમીનની તકરારમાં ત્રીજી હત્યા થઇ છે. - At This Time

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામમાં જમીન બાબતે બે ભાઈઓની હત્યાને હજી અઠવાડિયું પણ થયું નથી. એવામાં જમીનની તકરારમાં ત્રીજી હત્યા થઇ છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સમઢીયાળા ગામમાં જમીન મુદ્દે બે ભાઈઓની હત્યા કરવામાં આવી, આ ઘટનાને હજી અઠવાડિયું પણ થયું નથી, ત્યાં પાટડી તાલુકાના વડગામમાં વધુ એક યુવાનની જમીનના મામલામાં જ હત્યા કરી દેવામાં આવી છે. 

સુરેન્દ્રનગર જિલ્લા પાટડી તાલુકાના વડગામમાં જમીન મુદ્દે 18 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ યુવક પર જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યા કરી નાખવામાં આવી છે. 18 વર્ષના યુવાનની હત્યાથી ભારે ઉહાપો મચી ગયો છે. ઘટનાની જાણ થતા DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામમાં જમીન બાબતે બે ભાઈઓની હત્યાને હજી અઠવાડિયું પણ થયું નથી. એવામાં જમીનની તકરારમાં ત્રીજી હત્યા થઇ છે. જિલ્લામાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. 

9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.