વિસાવદર સ્વામિ નારાયણ ગુરુકુળમાં ધોરણ કે.જી.થી ૫ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અપાયા - At This Time

વિસાવદર સ્વામિ નારાયણ ગુરુકુળમાં ધોરણ કે.જી.થી ૫ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અપાયા


વિસાવદર સ્વામિ નારાયણ ગુરુકુળમાં ધોરણ કે.જી.થી ૫ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અપાયાવિસાવદરતા.વિસાવદર ની સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતા ધોરણ -કે.જી.થી ધોરણ-૫ ના વિદ્યાર્થીઓ ને ગતવર્ષ પ્રથમ, દ્વિતીય,તૃતીય આવેલ તમામ વિદ્યાર્થીઓને ગુરુકુળના સ્વામી આનંદ પ્રસાદજી સ્વામી તથા સ્વામી મુકુંદસ્વામીના વરદ હસ્તે આશીર્વાદ સાથે વિવિધ શિલ્ડ તથા ટ્રોફીઓ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે માધ્યમિક સ્કૂલના આચાર્ય સતાસીયા,પ્રાથમિક શાળાના આચાર્ય અસ્વીનભાઈ દોશી, કેમ્પસ ડાયરેક્ટર જીતુભાઇ ડોબરીયાવાલી મંડળ વતી વિસાવદર એડવોકેટ નયનભાઈ જોશી તથા સ્કૂલનો સ્ટાફ તથા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધો.૩ ની વિદ્યાર્થીની યશવીબેન નયનભાઇ જોશી સમગ્ર સ્કૂલમાં ધોરણ -૩માં પ્રથમ આવતા તેમને શિલ્ડ આપવામાં આવેલ હતું જયારે ધોરણ-૪ માં વૈભવીબેન નયનભાઇ જોશીને પણ નંબર આવતા શિલ્ડ આપવામાં આવેલ હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન જીતુભાઇ ડોબરીયાએ કરેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્કૂલના શિક્ષક સરવૈયાસાહેબેએ કરેલ હતું શિલ્ડ તથા ટ્રોફી ગુરુકુળના બન્ને સ્વામી બન્ને આચાર્યો, કેમ્પસ ડાયરેકટર તથા એડવોકેટ નયનભાઇ જોશી તથા શિક્ષકોના સ્ટાફ દ્વારા આપવામાં આવેલ હતા.સમગ્ર કાર્યકમ બાદ સ્કૂલ તરફથી તમામ બાળકોને નાસ્તો આપવામાં આવેલ હતો તેમ સ્કૂલના આચાર્ય અસ્વીનભાઈ દોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.