ગવરીદડ પાસે રિક્ષા અને અજાણ્યું વાહન અથડાતા યુવકનું મોત: ત્રણ ઘવાયા - At This Time

ગવરીદડ પાસે રિક્ષા અને અજાણ્યું વાહન અથડાતા યુવકનું મોત: ત્રણ ઘવાયા


મોરબી રોડ પર આવેલા ગવરીદડ પાસે મોડીરાતે રિક્ષા સાથે અજાણ્યું વાહન અથડાતા સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં કચ્છથી અષાઢી બીજ નિમિતે વતન ભેસાણ આવતા પરિવારે મોભી ગુમાવતા અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છથી રિક્ષા લઇને વતન ભેસાણ સાગરનાથ શાંતીનાથ માંગરોલીયા, તેમની પત્ની ટીંકુબેન માંગરોલીયા, પુત્રી મિલન અને પુત્ર ગોપી અષાઢી બીજ નિમિતે આવી રહ્યા હતા ત્યારે રિક્ષા મોરબી રોડ પરના ગવરીદડ પાસે પહોચી ત્યારે સામેથી પુર ઝડપે ઘસી આવેલું અજાણ્યું વાહન ઠોકર મારી ભાગી જતા રિક્ષા ચાલક સહિત ચારેય ફંગોળાતા ગંભીર રીતે ઘવાયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા ચારેયને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારે સાગરનાથ શાંતીનાથ માંગરોલીયાનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે. મૃતક સાગરનાથ માંગરોલીયા પરિવારનો મોભી હતો અને તેમનું માર્ગ અકસ્માતમાં મોત નીપજતા પરિવાર પર આભ તુટી પડયું હોય તેમ કરૂણ આંક્રદ કરતા ગમગની છવાઇ ગઇ હતી. પોલીસે અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હ્થધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.