ડુંગરપુર હનુમાનજીના સાનિધ્યમાં શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10 દીકરીઓના સમૂહ-લગ્નનું આયોજન કરવામાં આવ્યું - At This Time

ડુંગરપુર હનુમાનજીના સાનિધ્યમાં શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10 દીકરીઓના સમૂહ-લગ્નનું આયોજન કરવામાં આવ્યું


ડુંગરપુર હનુમાનજી ના સાનિધ્યમાં શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10 દીકરીઓના સમૂહ-લગ્નનું આયોજન કરવામાં આવ્યું

તારીખ 26/06/2022, રવિવારના રોજ જસદણના ડુંગરપુર હનુમાનજી ના સાનિધ્યમાં શ્રી નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10 દીકરીઓના સમૂહ-લગ્નનું આયોજન કરવામાં આવેલ. 10 ગરીબ દીકરીઓના લગ્ન-પ્રસંગને દીપાવવા ગ્રૂપના તમામ મેમ્બર્સ રૂપલ મહેતા,અંજલિ જીવાણી, દીપ્તિ દીવાન,ડો.મીના પટેલ, ધર્મીષ્ઠા ચોલેરા,શીતલ બાબરિયા, સોનલ ચોથાણી, હિરલ પોપટે છેલ્લા છ માસથી સતત પ્રયાસો કર્યા હતા. આ પ્રસંગે ડુંગરપૂર જગ્યાના મહંત હરિહરાનંદબાપુએ કન્યાઓને આશીર્વાદ પાઠવેલા. આ પ્રસંગમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ ખાસ હાજરી આપી નારી ગ્રૂપને પ્રેરિત કરેલ. રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કિરીટ પટેલ, મુકેશ દોશી, પરષોતમ કામાણી જયેશકલ્યાણી,બિમલ કલ્યાણીએ ખાસ હાજરી આપેલ. આ તકે નારી સેવા ચે.ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓનો આભાર માન્યો હતો. આ તમામ આયોજનમાં અશોક મહેતા, ભરત જનાણી, નરેશ દરેડ, સાગર દોશીએ ખાસ જહેમત ઉઠાવેલી.

At This Time News 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.