અમદાવાદ ઋષિ પંચમીની વિવિધ સંસ્થા ઓ સેવા પ્રવૃત્તિ કરી ઉજવણી કરાય - At This Time

અમદાવાદ ઋષિ પંચમીની વિવિધ સંસ્થા ઓ સેવા પ્રવૃત્તિ કરી ઉજવણી કરાય


અમદાવાદ ઋષિ પંચમીની ઉજવણી નિમિત્તે તા.૧-૯-૨૦૨૨ ગુરુવારે બપોરે ૩-૦૦થી ૬-૦૦ દરમ્યાન ૭ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ વૈદિક સંસ્કારોનું વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ રૅડ ક્રોસ સોસાયટી જૂના વાડજ ખાતે  યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા,લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ,વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના સહયોગથી આયોજન કરાયું જેમાં વાત્સલ્ય સિનિયર સિટિઝન હોમના શ્રીમતી  શિલ્પાબેન પટેલ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલના પ્રમુખ પુષ્પક શાહ તથા ગિરીશભાઇ પટેલ, ઝાયડસ હોસ્પિટલના ડૉ.સત્યમ શુકલા દિપ પ્રાગટ્યમાં હાજર રહેલા અને યજ્ઞમાં સપ્ત ઋષિઓને આહુતિઓ પ્રદાન કરવામાં આવી હતી નિ:શુલ્ક ઍક્યુપ્રેશર સારવાર શ્રી રશ્મિકાંત દેસાઈ દ્વારા તેમજ સપ્ત ઋષિઓનો ફોટો,ગાયત્રી મંત્ર લેખન નોટબુક,ગાયત્રી ચાલીસાનું વિતરણ કરવામાં આવયુહતુ.સમગ્ર યજ્ઞાનું આયોજન કનુભાઈ પટેલ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા કરવામાં આવ્યું દરેક વ્યક્તિને ફ્રુટનો પ્રસાદ આપવામાં આવ્યો  હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.