માળીયા હાટીનાના સોની યુવાન મુકેશ કુમાર અમૃતલાલ પાલાનું અકસ્માતમાં મોત - At This Time

માળીયા હાટીનાના સોની યુવાન મુકેશ કુમાર અમૃતલાલ પાલાનું અકસ્માતમાં મોત


માળીયા હાટીના ના સોની સમાજના વેપારી સ્વ.અમૃતલાલ લાલજી ભાઈ પાલાના નવ યુવાન પુત્ર મુકેશ ભાઈ ઉ વ 49 તે અકસ્માતમાં મોત થતા સમગ્ર ગામ માં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની મળતી વિગત પ્રમાણે મુકેશભાઈ પાલા માળીયા હાટીનામાં સોના ચાંદીના દાગીનાની દુકાન ધરાવે છે. અને છેલ્લા ત્રણ ચાર વર્ષ થી કેશોદ રહે છે. દરરોજ કેશોદ થી માળીયા હાટીના અપ ડાઉન કરે છે. ગત રાત્રે બુધવારે મુકેશ ભાઈ આઠ વાગ્યે પોતાના બાઈકમાં કેશોદ જવા નીકળ્યા ત્યારે માળીયા હાટીના અને ગળોદર વચ્ચે આઈ ટી આઈ પાસે રોઝડું આડું આવતા મુકેશ ભાઈનું બાઈક ફંગોળાય જતા મુકેશભાઈ સ્થળ ઉપરજ બે ભાન થઈ ગયા હતા.સ્થળ પરના લોકો એ 108 ને તાત્કાલિક બોલાવી માળીયા હાટીનાથી કેશોદ અને ત્યાં થી વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવાયા હતા મુકેશભાઈને માથા માં સખત લાગવાથી ફરજ પર ના ડોકટરે તાત્કાલિક ઓપરેશન પણ કરેલ હતું પણ મોડી રાત્રે બે વાગ્યા આસપાસ મુકેશ ભાઈની તબિયત ખરાબ થતા અવસાન થેયલ

આ બનાવ થી સોની સમાજ માં અને માળીયા હાટીનામાં ઘેરો શોક છવાઈ ગયો છે. આ બનાવ ની કરૂણતા એ છે કે મુકેશભાઈ ના માતુશ્રી પ્રભા બહેન અને મુકેશ ભાઈનાં ધર્મ પત્ની ઈલા બહેન નું પણ એક જ વર્ષ પહેલા બન્ને નું 40 દિવસ માજ કોરોના થી મોત થયું હતુ. આ બનાવ થી મુકેશભાઈનો એક નો એક નવ યુવાન પુત્ર કરણ અને મુકેશભાઈના મોટા ભાઈ દિનેશ ભાઈ અને સમગ્ર પાલા પરિવાર શોક માં ગરકાવ થઈ ગયો છે. આજે માળીયા હાટીનાના સોની સમાજ એ તમામ દુકાનો ધંધા રોજ ગાર બંધ રાખ્યા છે. આમ આ પાલા પરિવાર ઉપર શોકનું આભ ફાટ્યું

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.