માધવપુર ના મેળાને લઈને તડામાર તૈયારીઓ - At This Time

માધવપુર ના મેળાને લઈને તડામાર તૈયારીઓ


માધવપુરના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરાઇ

પોરબંદર તા,૨૪. માધવપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના લોકમેળામાંની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્ય સ્ટેજ, ડોમ, કારીગરો માટે હસ્તકલા કૃતિઓના સ્ટોલ, બ્લોક મૂકવાની કામગીરી સહિત કામગીરી હાથ ધરાઈ રહી છે.

આગામી તા.૩૦ માર્ચથી તા.૩ એપ્રિલ સુધી માધવપુર ખાતે કૃષ્ણ રુકમણી વિવાહ પ્રસંગે યોજાનાર લોકમેળાની કામગીરીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યના મહાનુભાવો, કલાકારો તથા પ્રવાસીઓ પધારતા હોય ત્યારે આયોજનના ભાગરૂપે તંત્ર દ્વારા મેળાની કામગીરીની તૈયારી થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.