દામનગર શહેર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન વિવિધ લાભો નું વિતરણ કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fkxs3usvllnonysn/" left="-10"]

દામનગર શહેર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન વિવિધ લાભો નું વિતરણ કરાયું


દામનગર શહેર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન આજ રોજ લાઠી તાલુકા ના દામનગર શહેર માં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રથ નું આગમન થયું હતું. અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલવી ની સૂચના થી ડો. મુકેશ સિંહ અને ડો. ઉર્વીશા મુલાણીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં લાભાર્થીઓ ને સ્થળ પર જ આયુષ્માન ભારત નું કાર્ડ કાઢી આપી નગરપાલિકા પ્રમુખ નાયબ મામલતદાર શ્રી ત્રિવેદી PGVCL ઈજનેર ગોસ્વામી સાહેબ જોશી સાહેબ ચીફ ઓફિસર રાજ્યગુરુ શાળા ના શિક્ષક શ્રીઓ આચાર્ય સ્થાનિક પોલીસ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો મભયો ઓર્ગેનાઇઝર અને પદાધિકારીઓ ના વરદહસ્તે વૃક્ષારોપણ ઉજ્જવલા ગેસ સહિત ના લાભો નું  વિતરણ થયું હતું. ઉપરાંત, યોગ નિદર્શન, બીપી ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો નું નિદાન અને સારવાર કરવા માં આવી હતી. હાલમાં ચાલી રહેલી વરસાદ ની ઋતુ માં વાહકજન્ય રોગો અને આરોગ્ય સેવાઓ અંગે આરોગ્ય શિક્ષણ આપી, કોરોના રસીકરણ કેમ્પ પણ રાખવા માં આવેલ હતો. આ આયોજન ને સફળ બનાવવા ડો.હિતેશ પરમાર, જયેશભાઈ રાજ્યગુરુ, બી આર જાવિયા, ભરતભાઈ સોલંકી, રણજીત વેગડા, પ્રિયંકા ભટ્ટી, રાજ દીક્ષિત જરખિયા આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]