કોઠારીયા રોડ પર ઈન્ડસ્ટ્રીઝમાં શ્રમિકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f37q9taqxxoi5kdg/" left="-10"]

કોઠારીયા રોડ પર ઈન્ડસ્ટ્રીઝમાં શ્રમિકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા


રાજકોટ,તા.5
રાજકોટના આજીડેમ વિસ્તારમાં શનિવારે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.તેમના કૌટુંબિક સાળાએ જ પ્રેમલગ્નનો ખાર રાખી ઢીમ ઢાળી દીધું હતું.જોકે ફરી આજે સવારે હત્યાની ઘટના સામે આવી છે.કોઠારીયા રોડ સ્વાતિપાર્ક નજીક આવેલી ગીત ઇન્ડસ્ટ્રીઝમાં ઓરડી નજીક યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવતા જ પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને ડોગ સ્કોવર્ડ તેમજ એફએસએલની ઘટનાસ્થળે દોડી ગઈ હતી
બનાવની વધુ વિગતો અનુસાર,આજે વહેલી સવારે કોઠારીયા મેઈન રોડ શ્વાતીપાર્ક નજીક આવેલી ગીતા ઇન્ડસ્ટ્રીઝ એરિયાની ઓરડી પાસે એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ 108ના ઇએમટી ભાવેશભાઈ ભીલ અને પાયલોટ જયેશભાઈ કોડિયાતર તેમજ આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડા અને પીએસઆઈ સિંધવ તેમજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.ત્યાં જઈને જોયું તો યુવકના મોઢે તેમજ માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.
પોલીસ સ્ટાફે આજીબાજુના વિસ્તારમાં તપાસ કરતા મૃતકનું નામ સુરેશ રાજેન્દ્રભાઈ ભુઈ(ઉ.વ.21)હોવાનું ખુલ્યું હતું.પોતે મૂળ ઓરિસ્સાનો વતની હોવાનું જાણવા મળ્યું હતું.તેમજ સુરેશ ત્યાં જ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.સુરેશ જે ઓરડીમાં રહેતો ત્યાં તેની સાથે તેનો મિત્ર પણ રહેતો હતો.આજે સવારે જ્યારે સુરેશની લોહીલુહાણ હાલતમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા તેની સાથે ઓરડીમાં રહેતો મિત્ર ક્યાંય જોવા મળ્યો નહોતો.
જેથી સુરેશને તેના સાથીદાર સાથે પૈસા લેતી દેતી અથવા અન્ય કોઈ કારણોસર ઝઘડો થયો હોય જેથી આજે વહેલી સવારેજ ઢીમ ઢાળી દીધું હોવાનું દૃઢ શંકા છે.મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.મૃતક ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો તેઓ મૂળ ઓરિસ્સાના વતની છે.તેમના ભાઈ મહેન્દ્રએ જણાવ્યું હતું કે,મારો ભાઈ સુરેશ અને હું બંને શ્વાતીપાર્ક ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ભરતસિંહ નવલસિંહ જાડેજાનો કોન્ટ્રાકટ હોય ત્યાં એક મહીનાથી કામ કરીએ છીએ.બનાવ અંદાજીત સાડા બારેક વાગ્યાનો હોય તેવું લાગે છે.
મૃતકના ભાઈ મહેન્દ્ર અને ભરતસિંહનું નિવેદન લેવા આજીડેમ પોલીસે તજવીજ શરું કરી છે.તેમજ બનાવ સ્થળે થી પથ્થર તેમજ બે હથિયાર પણ મળી આવ્યા છે.તે કબ્જે કરી એફએસએલમાં મોકલવામાં આવશે.તેમજ ફરાર થયેલા પ્રશાંત(રહે.ઓરિસ્સા)ને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે.મૃતકના ભાઈ મહેન્દ્ર રાજેન્દ્રભાઈ ભોઈની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]