શિલ ગામે શિવા ગ્રુપ દ્વારા શ્રી રામદેવજી મહારાજ નો નવમો બીજ ઉત્સવ ધામ ધૂમ થી ઉજવાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f0pumasgvqefbe1k/" left="-10"]

શિલ ગામે શિવા ગ્રુપ દ્વારા શ્રી રામદેવજી મહારાજ નો નવમો બીજ ઉત્સવ ધામ ધૂમ થી ઉજવાશે


સંતો, મહંતો સમાજ અગ્રણીની પ્રેરક ઉપસ્થિત* ગોસા(ઘેડ)પોરબંદર તા.૦૧/૦૧/૨૦૨૪
માધવપુર (ઘેડ ) નજીકના શિલ ગામે શિવા ગ્રુપ દ્વારા તા ૧૩ જાન્યુઆરી ને શનિવાર ના રોજ શિલ ની ઘેડીયા કોળી સમાજની વંડી ખાતે સનાતન ધર્મ ના તારણ હાર ને દ્વારકાધીશ ના ભગવાન શ્રી ક્ર્ષ્ણ ના અંશ અવતાર નકલંક નેજા ધારી શ્રી રામદેવજી મહારાજ ના યજ્ઞ મંડપ ની પૂર્વ તૈયારી રૂપે નવમાં બીજો ત્સવ નુ આયોજન કરવા માં આવેલ છે સમાજ ના યુવા શ્રે સ્થિ શ્રી શ્રી વિપુલ ભાઈ ભરડા ( ફોજી ) શ્રી ધર્મેશભાઈ ડાકી, શ્રી હરેશ ભાઈ ભરડા, પ્રકાશભાઈ ડાકી ઋષિર ભાઈ કામરિયાં (શિવા માર્બલ ) ના આયોજન તળે ના આ ધાર્મિક ઉત્સવ અવસરે સંતો,મ હ તો, અને સમાજ શ્રે સ્થિ ઓં ની પ્રેરક ઉપસ્થિત રહેશે આ ધાર્મિક ઉત્સવ નુ ભવ્ય આયોજન કરવા માં આવેલ છે જેમાં તા ૧૩ મી જાન્યુઆરી શનિવારે બપોરે ૩:૦૦ કલાકે સ કીર્તન ભજન મંડળી સાથે આ ઉત્સવ પ્રસંગે સામૈં યુ નીકળશે અને સાંજે ૪:૦૦ કલાકે શ્રી રામદેવજી મંદિરે ધ્વજાં રોહણ થશે, સાંજે ૬ કલાકે જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વગર મહા પ્રસાદ અને કોટવાર શ્રી રામભાઈ બાલુભાઈ ભરડા સંતો શ્રી સાગરબાપુ ગોડ લીયા, શ્રી નારણ દાસ હરીયાણી ની હાજરી માં રાત્રે ૧૦ કલાકે શ્રી રામદેવજી મહારાજ નો પાટોત્સવ યોજાશે જેમાંજ્યોત પ્રા ગટ્ય થશે….
ઘેડીયા કોળી સમાજ ની વંડી શિલ ખાતે રાત્રે 10 કલાકે ભવ્ય લોક ડાયરા નુ આયોજન કરવા માં આવેલ છે જેમાં સૌરાષ્ટ્ર ના જાણીતા અલ્વિરા મીર એન્ડ ગ્રુપ સૌને ડોલાવશે. એકતા એખલાસ અને સમનવ્ય ના ધાર્મિક ઉત્સવના અવસરે શિવા ગ્રુપ દ્વારા નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે સૌ ભક્ત જનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
રિપોર્ટર :-વિરમભાઇ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]