લીલીયા મોટા મામલતદાર મારડિયા નિવૃત્ત થતા વિદાયમાંન અપાયુ - At This Time

લીલીયા મોટા મામલતદાર મારડિયા નિવૃત્ત થતા વિદાયમાંન અપાયુ


લીલીયા મોટા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા એમ.આર.મારડીયા વય નિવૃત્તિ થતા લીલીયા મામલતદાર કચેરીએ વિદાય સમારંભ ગોઠવામાં આવેલ જેમાં મહેસુલ તપાસણી કમિશનર ના નાયબ કલેકટર શ્રી અઘેરા સાહેબ ના અધ્યક્ષ સ્થાને મામલતદાર મારડિયા નો વિદાય સમારંભ યોજાયો મામલતદાર મારડિયા ટૂંકા દિવસોમાં જ લીલીયા તાલુકાની જનતા ના પ્રશ્નોને ત્વરિત ઉકેલ લાવવા માટે એક્શન મોડમાં હતા જેમાં રેશનકાર્ડ,આધારકાર્ડ, વિવિધ સહાય,તેમજ જમીનના વિવિધ કામો ત્વરિત કરાવી લીલીયા તાલુકાની જનતામાં એક અદકેરું સ્થાન પ્રાપ્ત કરેલ હોય ત્યારે આજે પોતે મામલતદાર મારડિયા પણ લીલિયાની જનતા અને સ્ટાફ કર્મચારીઓ થી વિખુટા પડતા ભાવુક થયેલ અને પોતે એક કોમન મેન જેવું જીવન જીવતા હોવાથી નાનામાં નાનો માણસ પણ સાહેબને ઉભા રાખી અને કામ ચિંધી શકતો આવા કોમળ સ્વભાવ ના અધિકારી આજરોજ નિવૃત્ત થતા લીલીયા તાલુકા ની જનતાને ખૂબ મોટી ખોટ પડશે અને આવા સારા અધિકારીશ્રી ના લીલીયા તાલુકાની જનતામાં સદાય સંભારણા રહેશે આ તકે મહેસુલ તપાસણી કમિશનરના મામલતદાર શ્રી રાવળ સાહેબ તથા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી સહિત ના મામલતદાર કચેરી લીલીયા મોટા નો સ્ટાફ ઉપસ્થિત રહી સાહેબને વિદાયમાંન આપવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.