ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ના રોજ યોજાશે - At This Time

ઉમરાળા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ના રોજ યોજાશે


રાજ્ય સરકારનાં આદેશ અનુસાર તા.૨૪/૦૧/૨૦૨૪ને બુઘવારનાં રોજ ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી ઉમરાળા ખાતે મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે આથી પ્રશ્નો માટે અરજદાર પાસેથી તા.૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મામલતદાર ઉમરાળાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે જે પ્રશ્નો અંગે કોર્ટ કેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજુઆત કરી શકાશે સામુહિક રજુઆત કરી શકાશે નહિ ગ્રામ્ય કે તાલુકાનાં પ્રશ્ન હોય તે તા.૧૦/૦૧/૨૦૨૪ સુધીમાં મામલતદાર ઉમરાળાને રજુ કરવા યાદીમાં જણાવાયું છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.