વિસાવદર ના રોડ-રસ્તા મુદે આમ આદમી પાર્ટી આંદોલન કરશે - At This Time

વિસાવદર ના રોડ-રસ્તા મુદે આમ આદમી પાર્ટી આંદોલન કરશે


ડી.જે.ના તાલ સાથે હું ભ્રષ્ટાચારને ખુલ્લો પાડીશ - વિજય ડોબરીયા
છેલ્લા ત્રણ વષૅમાં પ્રજાના પૈસાનો ધુમાડો કરી અને બેફામ ભ્રષ્ટાચાર આચરી અને નબળી ગુણવતા વાળા રોડ બનાવ્યા છે.એ માટે આમ આદમી પાર્ટીના શહેર સંગઠનમંત્રી વિજય ડોબરીયાએ પ્રજાને જાગૃત કરવા આગામી દિવસોમાં ડી.જે. સાથે શહેરમાં ફરી અને લોકોને હલકી ગુણવતાના કામ કરવા વાળાની સામે અવાજ ઉઠાવવા નું આયોજન કરી રહયા છે.સમગ્ર વિસાવદર આમ આદમી પાર્ટીના કાયૅકરો સંગઠીત થઈ એક ભ્રષ્ટાચાર વિરોધી રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપશે.તેમજ પ્રજા સમક્ષ રોડ રસ્તા બાબતે આર.ટી.આઇ. માંગી હકીકતો બહાર લાવશે. વિસાવદર વિધાનસભા સહસંગઠન મંત્રીએ ઉપરોકત બાબત જણાવી હતી.તેમજ મળતીયાઓને કામ આપવુ અને ખોટા બિલ ઉધારવા , સતા માટે કેટલા રૂપિયા થી કોર્પોરેટરોની ખરીદી અને કયાં કયાં કટકી ખવાય છે. તે બધા ને ખુલ્લા પાડીશું.એવુ આમ આદમી પાર્ટીના પ્રતિનીધી વિજય ડોબરીયાએ જણાવ્યુ હતુ.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.