સુરેન્દ્રનગર મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલ વિકાસ વાટીકા પુસ્તિકાનું વિમોચન કરાયું. - At This Time

સુરેન્દ્રનગર મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરાયેલ વિકાસ વાટીકા પુસ્તિકાનું વિમોચન કરાયું.


વિકાસ વાટીકા પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન

સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહુર્ત તેમજ સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૪નાં રાજ્ય વ્યાપી શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે જિલ્લા માહિતી કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તૈયાર કરાયેલ ‘વિકાસ વાટીકા’ પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, આ ‘વિકાસ વાટીકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે આ ઉપરાંત આ પુસ્તિકામાં સુરેન્દ્રનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઇતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, જિલ્લામાં વિકાસ કાર્યોનું આગોતરું આયોજન સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પુસ્તિકા સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.