રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રીના વરદ્હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસે ૧૦૮ની વિશિષ્ટ સેવાને સન્માનિત કરવામાં આવી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dkgcmffepjw6izsw/" left="-10"]

રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રીના વરદ્હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસે ૧૦૮ની વિશિષ્ટ સેવાને સન્માનિત કરવામાં આવી.


રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રીના વરદ્હસ્તે ૭૪માં ગણતંત્ર દિવસે ૧૦૮ની વિશિષ્ટ સેવાને સન્માનિત કરવામાં આવી.

ભારત જેવાં વિશાળ દેશમાં આરોગ્ય વિષયક કાળજીનો અભાવ તથા તે અંગેના અજ્ઞાનને કારણે વિકસીત દેશોની સરખામણીમાં ઉંચો માતામૃત્યુ દર અને બાળ મૃત્યુદર જોવાં મળે છે.રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી આ દર ઘટાડવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે.

મમતાકાર્ડ, મીશન ઇન્દ્રધનુષ, સગર્ભા અને ધાત્રી માતાઓને પુરક પોષણ, ખીલખીલાટ વાન તથા પ્રસૂતિ માટે ગમે ત્યારે ૧૦૮ વગેરે જેવી સેવા દ્વારા તેમાં ધીમે-ધીમે નોંધપાત્ર સુધારો આવ્યો છે.સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે છે. આવાં સ્વસ્થ બાળકો કે જેઓ ભારતનું ભાવી છે ત્યારે આવાં બાળકોની સલામત પ્રસૂતિ તેમજ કાળજી ખૂબ જ જરૂરી છે.

તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તેમજ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેનાં પરિણામે જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર નોંધપાત્ર રીતે ઘટાડી શકાયો છે.

આ મૃત્ય દર ઘટાડવામાં જેનું યશસ્વી યોગદાન છે તેવી ૧૦૮ની સેવાને ભારતના ૭૪મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભરૃચ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા પ્રમાણપત્ર આપીને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લામાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને નીચો લઈ જવાં માટે ૧૦૮ ની સેવા દ્વારા સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહી છે. આ સેવા થકી જિલ્લામાં અનેક સગર્ભાવસ્થા માતાને તપાસની તેમજ પ્રસૂતિની પીડામાં તાત્કાલિક સારવાર સાથે યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં સર્વોત્તમ કામગીરી કરવામાં આવી છે.

અનેકવાર ગંભીર નવજાત શિશુના જીવન બચાવવામાં આવ્યાં છે. જિલ્લાની ૧૦૮ સેવા દ્વારા જોખમી સગર્ભા માતાઓ માટે વિશેષ કાળજી રાખી રહી છે. આ સાથે આ મૃત્યુદર ઘટાડવા માટે સતત તત્પર અને કટિબદ્ધ રહે છે.
-૦-૦-૦-
આ પ્રસંગે ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યુ હતું કે, ૧૦૮ સેવા કોઈ પણ પરિસ્થિતિ કે સંજોગોને લડત આપે છે. જિલ્લાના તમામ કર્મચારીઓ તાલીમબદ્ધ અને તત્પર રહેતા હોય છે. નવજાત શિશુ ને સગર્ભા માતા ની અલાયદા સંભાળ લેવામાં આવે છે.

આ સુદ્રઢ, સુસંકલીત અને તાલીમબદ્ધ કર્મચારીઓની કામગીરીની નોંધ નીતિ અયોગ અને રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે.લોકહ્યદયમાં સ્થાન મેળવેલી આ સેવા અહર્નિશ લોકસેવા માટે તત્પર રહે છે. ત્યારે તેનું યથોચિત સન્માન તેના કર્મચારીઓને વધુ સારી કામગીરી કરવાં માટે ચોક્કસ પ્રેરિત કરશે. તેનાથી લોકોને વધુ સારી સેવા ઉપલબ્ધ બનશે.

વધુમાં કોરોના કાળ કે વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં પણ સગર્ભા માતા માટે આશીર્વાદરૂપ બની રહી છે. વાવાઝોડા દરમિયાન અનેક સગર્ભા માતા અંતરિયાળ વિસ્તારમાં ફસાઈ ગઈ હતી એમની પ્રસૂતિ કુશળ આયોજન થકી એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી છે અને જરૂર જણાયે વધુ સારવાર માટે યોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ રીતે અનેક માતા અને શિશુને નવજીવન આપવામાં ૧૦૮ ની સેવા ઉપકારક બની છે.કોરોના કાળ દરમિયાન પણ કોરોનાગ્રસ્ત માતા અને નવજાત શિશુની કાળજીપૂર્વક સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી રાજ્યમાં આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે ૧૦૮ની સેવાનું થયેલું સન્માન યોગ્ય સમયનું અને પ્રશંસનીય પગલું છે.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]