ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ અને કાર્યરત એવી તદ્દન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ - At This Time

ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ અને કાર્યરત એવી તદ્દન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ


ઉમરાળા ના ટીમ્બિ માનવસેવા ટ્રસ્ટ ની બ્ર.પ.પૂ.સદ્ગુરુદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી નિર્માણ થયેલ અને કાર્યરત એવી તદ્દન વિનામૂલ્યે સેવા પ્રદાન કરતી હોસ્પિટલ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (તા.ઉમરાળા, જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી વાકેફ એવા અમેરીકા સ્થિત નિષ્ણાંત યુરોલોજીસ્ટ ડો. શ્રી નિખીલ શેઠ સાહેબ કે જેઓ ગત્ વર્ષે એક મહિનો સેવા આપી હતી. તેઓશ્રી આ વર્ષે પણ તા.૧૨.૧૨.૨૦૨૨ થી તા.૩૦.૧૨.૨૦૨૨ સુધી યુરો વિભાગને લગતા દર્દીઓનાં ઓપરેશન તથા નિદાન માટે સેવા આપવા આવેલ છે.

સેવાની સાથોસાથ તેઓશ્રીએ તા.૧૨.૧૨.૨૦-૨૨ નાં રોજ રૂા.૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરાનું અનુદાન અર્પણ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ડો. શ્રી નિખીલ શેઠ સાહેબ તરફથી રૂ ૫.૦૦૦૦૦ /- અંકે રૂપિયા પાંચ લાખ પુરાનું અનુદાન પ્રાપ્ત થયેલ છે. તેઓશ્રીને હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ-ડો.નટુભાઈ ૨ાજપ૨ા અને મંત્રી-બી.એલ.રાજપા દ્વારા બ્ર.પ.પૂ.સદ્ગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં "જીવન ચરિતામૃત' ગ્રંથ અને શાલ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે સેવાભાવી ડૉ. શ્રી નિખીલ શેઠ સાહેબ નો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.