15 મેથી વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય - At This Time

15 મેથી વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય


15 મેથી વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસના કામોને કારણે, ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોને અમદાવાદથી ગાંધીનગર કેપિટલ સ્ટેશન તરફ આગમન/પ્રસ્થાન માટે ડાયવર્ટ કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ ના જણાવ્યા અનુસાર, ટ્રેનોના નિયમન અને જાળવણી તથા ટ્રેનોની સમયની પાબંદતાને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસને 15.05.2024 થી કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જે ટ્રેનોના સમયમા ટ્રેન નંબર 22957 ગાંધીનગર કેપિટલ - વેરાવળ સુપરફાસ્ટ તેના વર્તમાન નિર્ધારિત સમય 21.55 કલાકને બદલે 21.45 કલાકે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વેરાવળ સ્ટેશને 6.00 કલાકને બદલે 5.45 કલાકે પહોંચશે ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ હવે તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે 10.35 વાગ્યે ને બદલે માત્ર 5 મિનિટ વહેલી એટલે કે સવારે 10.30 વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે, સહિત ત્યાર બાદ આ ટ્રેનના સમયમાં અન્ય સ્ટેશનોં પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.