રાજકોટના વેપારી સાથે દિલ્લીના વેપારીએ સેન્ડવીચ મશીનના નામે રૂ.1.34 લાખની છેતરપિંડી આચરી - At This Time

રાજકોટના વેપારી સાથે દિલ્લીના વેપારીએ સેન્ડવીચ મશીનના નામે રૂ.1.34 લાખની છેતરપિંડી આચરી


રાજકોટના વેપારી સાથે દિલ્લીના વેપારીએ 1.34 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. રાજકોટના વેપારી જગદીશભાઇ ઠક્કરે દિલ્લીના વેપારી નિરંજન પાસેથી સેન્ડવીચ મશીનની ખરીદી કરી હતી જે ખરાબ નીકળ્યા હતા જે બાદ ફરી દિલ્લીના વેપારીનો સંપર્ક કર્યો હતો જેને મશીન પરત મોકલી આપવા કહ્યું હતું અને રૂપિયા પરત મળી જશે તેવું જણાવ્યું હતું જો કે હજુ સુધી રૂપિયા પરત ન મળતા રાજકોટના વેપારીએ દિલ્લીના વેપારી નિરંજન વિરુધ્ધ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે દિલ્લીના વેપારી સામે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.