શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર)ના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીમશીભાઈ ખોડભાયાની નિમણૂક. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/qnujfijx94ecftii/" left="-10"]

શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર)ના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીમશીભાઈ ખોડભાયાની નિમણૂક.


• શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર)ના નવનિયુક્ત પ્રમુખ તરીકે ભીમશીભાઈ ખોડભાયાની નિમણૂક.
• શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર) ની ૨૦૨૧-૨૦૨૨ વાર્ષિક સાધારણ સભા [AGM ૨૦૨૧-૨૨] અમદાવાદ ખાતે યોજાઈ.

તારીખ ૨૪-૦૭-૨૦૨૨, રવિવારના રોજ શ્રી અમદાવાદ આહીર સમાજ (અમદાવાદ-ગાંધીનગર) ની ૨૦૨૧ -૨૨ વાર્ષિક સાધારણ સભા [AGM ૨૦૨૧-૨૨] પ્રમુખ શ્રી કલ્પેશભાઈ કાતરીયાના અધ્યક્ષ સ્થાને, ગીર રજવાડી રેસ્ટોરન્ટ-અમદાવાદ ખાતે યોજાઇ હતી. જેમાં પૂર્વ પ્રમુખશ્રીઓ, દાતાશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, આજીવન સભ્યશ્રીઓ, તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી.

વાર્ષિક સાધારણ સભામાં ૨૦૨૦-૨૧ની પ્રમુખશ્રી અને તેમની કરોબારીની ટિમ દ્વારા કરવામાં આવેલા કાર્યો તેમજ સમાજના વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. નવા વર્ષની કારોબારી ૨૦૨૨-૨૩ની રચના પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં ભીમશીભાઈ ખોડભાયાને નવનિયુક્ત પ્રમુખ તરીકે અને કરશનભાઇ ભોચીયા અને શ્રીપ્રતાપભાઈ ડેરને ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. આ તકે મંત્રી તરીકે રણજીતભાઈ પાડા તેમજ સહમંત્રી તરીકે અશોકભાઈ પરડવા, લખુભાઈ જોગલ, ભાર્ગવભાઈ બલદાણીયા, અશોકભાઈ ચંદ્રવાડીયા, સંજયભાઈ છૈયા તેમજ ખજાનચી તરીકે પ્રવિણભાઈ ભાદરકા, સહ ખજાનચી તરીકે રમેશભાઈ લાડુમોરની વરણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાત સરકાર માં ઉપસચિવ (બંદર અને વાહન વ્યવહાર વિભાગ) તરીકે બઢતી મળેલ શ્રી લખુભાઈ જોગલ તેમજ ગુજરાત જાહેર આરોગ્ય વહીવટી વિભાગ વર્ગ-૨ ના પ્રમુખ શ્રી ડૉ ભરતભાઈ ઝાલા નું સન્માંન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પ્રમુખ ભીમશીભાઈ ખોડભાયા અને નવી ટીમને શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
મો -9909724189


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]