મહાશિવરાત્રિ ઉત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં શ્રી નિલકંઠ મહાદેવનું ભવ્ય પૂજન થયું - At This Time

મહાશિવરાત્રિ ઉત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર એવં શ્રી નિલકંઠ મહાદેવનું ભવ્ય પૂજન થયું


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા.18-02-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શૃંગાર કરી સવારે મંગળા આરતી તથા શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ શણગાર કરી મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ.જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.