સ્વદેશી જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર ઋષિ દંત્તોપંત ઠેંગડીજીને શ્રદ્ધાંજલિ - At This Time

સ્વદેશી જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર ઋષિ દંત્તોપંત ઠેંગડીજીને શ્રદ્ધાંજલિ


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રચારક તથા અનેક સંસ્થાઓનાં સ્થાપક અને રાજ્યસભાનાં પૂર્વ સભ્ય પરમ શ્રદ્ધેય દંત્તોપંત ઠેંગડીજીની પુણ્યતિથિ તારીખ ૧૪ ઓક્ટોબરના હોય તેઓએ પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રના કાર્યને સમર્પિત કર્યું હતું. આવા રાષ્ટ્ર ઋષિ તથા સ્વદેશી જાગરણ મંચનાં સ્થાપક શ્રી આદરણીય દંત્તોપંત ઠેંગડીજીને સ્વદેશી જાગરણ મંચ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એમની પૂણ્યતિથિ ની પૂર્વસંધ્યાએ મેયર બંગલો ખાતે રાખવામાં આવ્યો.
કાર્યક્રમની શરૂઆત વનિતાબેન રાઠોડ દ્વારા ગીત દ્વારા કરવામાં આવી. મહેમાનોનું સ્વાગત, દીપ પ્રાગટ્ય અને પૂજ્ય દત્તોપંતજી શ્રધ્ધાંજલિ મેયરશ્રી નયનાબેન પેઢડીયા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ સંચાલન : શ્રી નિધિબેન ગોકાણી દ્વારા કરવામાં આવ્યું. મેયરશ્રીનું સન્માન શ્રી કૌશિકભાઈ ટાંક અને ટીમ દ્વારા કરાયું. આદરણીય દંત્તોપંત ઠેંગડીજીનાં જીવનચરિત્ર વિશે વકતવ્ય મુખ્ય વક્તા શ્રી યોગેશભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યું. શ્રી રમેશભાઈ દવેએ ઉદ્બોધન કર્યું. શ્રી વિનોદભાઈ પેઢડિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી. શાંતિ મંત્ર શ્રી રક્ષાબેન ધામી દ્વારા બોલાવવામાં આવ્યો. કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રી નયનાબેન પેઢડીયા, વિભાગ સંયોજક શ્રી વિનોદભાઈ પેઢડીયા, પશ્ચિમ ક્ષેત્ર સંયોજક રમેશભાઈ દવે ,સૌરાષ્ટ્ર પ્રાંત મહિલા કાર્ય પ્રમુખ ભાર્ગવીબેન, સૌરાષ્ટ્ર પ્રાંત સહ મહિલા કાર્ય પ્રમુખ વનિતાબેન રાઠોડ, સૌરાષ્ટ્ર પ્રાંત સહ સંયોજક યશભાઈ જસાણી, રાજકોટ મહાનગર સંયોજક ભાર્ગવભાઈ ગોકાણી, રાજકોટ મહાનગર સહસંયોજક તપનભાઈ લાડાણી, મુરલીભાઈ દવે પૂર્વ કોર્પોરેટર, વિચાર વિભાગ પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત હાર્દિકભાઈ વ્યાસ,રાજકોટ મહાનગર સહ મહિલા કાર્યક્રમ નિધિબેન ગોકાણી
રાજકોટ મહાનગર પૂર્વ વિચાર વિભાગ પ્રમુખ યોગેશભાઈ ભટ્ટ મુખ્ય વક્તા હાજર રહ્યાં હતાં.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.