આરોપીઓના છૂટવા અંગે બિલકીસ બાનોના કુટુંબને આશ્ચર્ય
અમદાવાદ તા. 16 ઓગષ્ટ 2022,મંગળવારબિલકીસ બાનો ગેંગરેપ અને હત્યા કેસમાં દોષિત ૧૧ને સરકારે છોડી મુકવાની જાહેરાત અંગે બિલકીસ બાનોના પતિએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને આ લોકોને છોડી મુકવા અંગેની જાણ સમાચાર માધ્યમ દ્વારા જ થઇ છે. આ ઘટનાના બે દાયકા પછી પણ બિલકીસના પતિએ દાવો કર્યો હતો કે તે પોતાની પત્ની અને પાંચ બાળકો સાથે કોઈ એક સ્થળે વસવાટ કરતા નથી. આ ઘટના અંગે કોઈ વધારે પ્રતિક્રિયા આપવા અંગે યાકુબ રસુલે ઇનકાર કર્યો હતો. અમને માત્ર સમાચાર માધ્યમથી આરોપીઓના છૂટવાની જાન થઇ છે. એમણે ક્યારે કોર્ટમાં અરજી કરી અને તેમાં કોર્ટે શું ચુકાદો આપ્યો અને સરકારે ક્યારે તેમને છોડવાનો નિર્યણ કર્યો એ અંગે અમે જાણતા નથી એમ રસુલે જણાવ્યું હતું.વધુ વાંચો : બિલકીસ બાનો કેસમાં છુટેલા આરોપીઓ કહે છે અમે તો રાજકીય હાથો બન્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.