પુનીતનગરમાંથી 14 વર્ષની સગીરાનું અપહરણ - At This Time

પુનીતનગરમાંથી 14 વર્ષની સગીરાનું અપહરણ


શહેરના પુનીતનગર વાવડી રોડ, નર્સરી નજીક રહેતા પરિવારની 14 વર્ષની સગીર દિકરીનું અપહરણ થઇ ગયા અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે જેમાં આરોપી તરીકે મનસુખ ઉર્ફે કાળુ ખીમા કટારા સામે ગુનો દાખલ થયો છે.
પોલીસ સુત્રોએ આપેલી વિગતો મુજબ ફરિયાદીની 14 વર્ષની સગીર દિકરીને લલચાવી ફોસલાવી આરોપીએ પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો.
સગીરા ઘરે કયાંય જોવા ન મળતા પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. તે ન મળી આવતા અંતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.