કામ કરતી વેળાએ ચોથા માળેથી પટકાતા શ્રમીકનું મોત - At This Time

કામ કરતી વેળાએ ચોથા માળેથી પટકાતા શ્રમીકનું મોત


ઢેબરરોડ પર આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં કડીયાકામ કરતાં સુશાંતભાઈ સેનાપતી સુથાર (ઉ.વ.32) ગતરોજ ગુરુકુળમાં ચોથા માળે કડીયાકામ કરતાં હતાં. ત્યારે તેનો પગ લપસતા નિચે પટકાયા હતાં. જેને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.વધુમાં મૃતક મુળ ઓરીસ્સાનો રહેવાશી છે. અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે બનાવથી પરીવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.