આહિર પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wymytngwyablkwf3/" left="-10"]

આહિર પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ


સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા સોનલબેન રણજીતભાઈ ડવ (ઉ.વ.42) એ ગઈકાલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગેની વધુ વિગત અનુસાર, સોનલબેનના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા અને તેના પતિ ડ્રાઈવિંગ કામ કરે છે. સંતાનમાં એક પુત્ર-પુત્રી છે.
ગતરોજ તેના ભાઈ ઘરે આવ્યા હતાં અને મોરબી પ્રસંગમાં જવું હોય જેથી ભાણીને લઈ તેઓ સવારે પ્રસંગમાં ગયા હતા અને તેના પતિ પણ બહારગામ ગયા હતા. બાદમાં તેઓ ઘરે એકલા હતા ત્યારે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં સાંજે પ્રસંગમાંથી પરત તેનો ભાઈ ભાણેજને ઘરે મુકવા આવ્યા
ત્યારે રૂમ ખોલતા જ બહેન લટકેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવતા પડોશીઓ એકઠા થઈ ગયા હતા અને 108 મારફતે સીવીલમાં ખસેડાયા હતાં. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ.માં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પુછપરછ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]