દોઢ સો ફુટ રોડ પર યાગરાજનગરમાં જાનકી રેસીડેન્‍સીમા રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mb7fpjdurwtwwau8/" left="-10"]

દોઢ સો ફુટ રોડ પર યાગરાજનગરમાં જાનકી રેસીડેન્‍સીમા રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.


રાજકોટ,તા. ૨૮ : દોઢ સો ફુટ રોડ પર યાગરાજનગરમાં જાનકી રેસીડેન્‍સીમા રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ યાગરાજનગર શેરી નં. ૨માં આવેલ જાનકી રેસીડેન્‍સીમાં રહેતા ધવલ ભીમજીભાઇ સીંધવ (ઉવ.૨૦) નામના યુવાને પોતાના રે પપ્‍ટો પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવતા ધવલને લટકતો જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ. અલ્‍પેશભાઇ કવાડીયા અને રાઇટર અનુજભાઇએ સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ધવલ બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો હતો તે પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]