દિલ્હીમાં સંસ્કાર ગ્રુપ ભાવનગર એ ડંકો વગાડ્યો - At This Time

દિલ્હીમાં સંસ્કાર ગ્રુપ ભાવનગર એ ડંકો વગાડ્યો


26 જાન્યુઆરી લાલ કિલ્લા પરેડ માટે ભારતભરની 1400 ટીમ માંથી ભાવનગરનું સંસ્કાર ગ્રુપ આખરી પડાવમાં વિજેતા થઈ પસંદગી પામ્યું હતું.

મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા આયોજિત રિપબ્લિક ડે પરેડ માટે ભારતભરમાંથી સાત ઝોનમાંથી એન્ટ્રી મગાવવામાં આવેલી જેમાં ૧૪૦૦ જેટલી કૃતિને છેલ્લા બે મહિનાથી ક્રમશઃ તબક્કાવાર સિલેક્શન થતાં ચાર રાઉન્ડના અંતે સંસ્કાર ગ્રુપની પસંદગી થતા ભાવેણાના કલા પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. કીર્તિદેવસિંહ ગોહિલ ના સંચાલન હેઠળ ચાલતા સંસ્કાર ગ્રુપને ચેતન ચૌહાણ અને ક્રિપાલસિંહ ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ મહિપાલસિંહ પરમાર, તુલસી નારીગરા, તીર્થરાજસિંહ ઝાલા, રિદ્ધિ ડોડીયા, પ્રગતિબા ગોહિલ, માહિર રાઠોડ, રશ્મી બારૈયા, શ્રેયા, રાહુલ ,નિધિ બાંભણિયા, એ મિશ્ર રાસની સુંદર કૃતિ રજૂ કરી નિર્ણાયક ગણને પ્રભાવિત કરવામાં સફળ રહ્યા હતા. હવે સંસ્કાર ગ્રુપ આગામી પાંચ જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી દિલ્હીમાં જ રહેશે અને થીમ અનુસાર 26 જાન્યુઆરીએ તેમની વિશેષ રજૂઆત કરશે..

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.