ભગવાન મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર આનંદ સાગર સ્વામીએ આખરે માફી માંગી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0ltxmlvn6eskibqz/" left="-10"]

ભગવાન મહાદેવ પર વિવાદિત ટિપ્પણી કરનાર આનંદ સાગર સ્વામીએ આખરે માફી માંગી


વડોદરા:-આનંદ સાગર સ્વામીનો ભગવાન શિવ પર વિવાદિત ટિપ્પણી નો મામલો હવે એક ટોકિંગ પોઇન્ટ બન્યો છે. ભગવાન શિવ વિશે યોગ્ય ટિપ્પણી કર્યા બાદ આનંદ સાગર સ્વામીને પોતાની ભૂલનું ભાન થયું હતું અનેતેમણે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. તે સાથે પ્રબોધ સ્વામીએ સજા સ્વરૂપે મૌન પાળવા અને સાત દિવસ ઉપવાસના આદેશ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આનંદ સાગર સ્વામીએ હરિધામ સોખડા ના પ્રબોધ સ્વામી ગ્રુપના સ્વામી છે. તેમણે અમેરિકામાં આ પ્રકારનું પ્રવચન આપ્યું હતું જેનો વિવાદ થતાં વિડીયો વાયરલ થયો હતો. તેમણે પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા સ્વામી ગણાવ્યા હતા. આવી વાત જાહેર કરતા ભક્તોની લાગણી દુબઈ હતી એ પછી આનંદ સાગર સ્વામીએ નવો વીડિયો જાહેર કરીને માફી માંગી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]