સુરેન્દ્રનગર જિલ્લાના નવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ની બેઠક યોજાઈ. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાના નવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા પરિષદ ની બેઠક યોજાઈ.


કાલે સવારે તારીખ 24/7/2022 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં નવા સર્કિટ હાઉસ ખાતે પત્રકારનું સંગઠન વધુ મજબૂત બને તે માટે બેઠક યોજવામાં આવી હતી. સુરેન્દ્રનગર પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રતીક સિંહ રાણા નાં નેતૃત્વ હેઠળ દરેક નાના મોટા પત્રકારને ખંભે, ખંભો મિલાવી સાથે રહીને કામગીરી કરવાની માર્ગદર્શન આપ્યું તેમજ આગામી સમયમાં કોઈ પણ પત્રકારને કે રિપોર્ટરને આકસ્મિક વીમા સહાય બાબતે સરકારને શ્રી ને પણ રજૂઆત કરવામાં આવશે તેવી બાંહેધરી આપી. ખાસ કરીને આખા ગુજરાત ભરમાં પત્રકાર એકતા પરિષદના ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને તમામ તાલુકાના પત્રકારો અને રિપોર્ટર સાથે રહીને ફોર્મ ભરી જિલ્લા પ્રમુખને અર્પણ કર્યા. સાથે સાથે આ બેઠકમાં ઉપપ્રમુખ અશ્વિન સિંહ રાણા ની વરણી કરવામાં આવી. આ આયોજને સફળ બનાવવા પત્રકારકતા પરિષદના પ્રમુખ પ્રતીક સિંહ રાણા, ઉપપ્રમુખ અશ્વિન સિંહ રાણા, મહામંત્રી સહિત ના હોદ્દેદારો અને જી.એસ.ટીવી વીરેન ડાંગરેચા, ઝાલાવાડની વાત નાં તંત્રી કિરીટભાઈ ખવડ, દિવ્યાંગ ન્યુઝ રણજીતભાઈ ખાચર અને સાયલા તાલુકા રિપોર્ટર જેસીંગભાઇ સારોલા તેમજ તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બેઠક પુણ્ય થતા સૌ સાથે રહીને ભોજન લીધા બાદ છૂટા પડ્યા.
at this time news sayala
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.