સાયલા ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોના પ્રશ્નો માટે આજ થી નવીન પહેલ કરી. - At This Time

સાયલા ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોના પ્રશ્નો માટે આજ થી નવીન પહેલ કરી.


સાયલા ગ્રામપંચાયત ના ઉત્સાહી અને કર્મયોગી સરપંચ અજયરાજસિંહ ઝાલા દ્વારા ગામલોકોને વોર્ડ પ્રમાણે પડતી મુશ્કેલી ને જાણવા નવીન પહેલ " સાયલા ગ્રામપંચાયત આપને દ્વાર "શરૂ કરી છે. જેમાં સાયલા શહેર ના દરેક વોડૅ મા બિજા અને ચોથા (શની) અને (રવિ)રજાના દિવસમાં ગ્રામપંચાયત ના તમામ સદસ્ય તથા કાયૅકરતા મિત્રો દ્વારા વોડૅ ના નાગરીકો ને પાણી સફાઈ અને લાઈટ કે અન્ય પ્રશ્ન હોય તો તે પ્રશ્નનુ ઝડપભેર નિરાકરણ લાવવા માટે આ કાયૅક્રમ ની શરૂવાત કરવામાં આવી છે આ કાર્યક્રમ ની શરૂઆત વોડૅ નં 8 માં અંબાજી માંના ચોક થી માતાજીના દશૅન કરી શરૂવાત કરવામા આવેલ છે. આ કાર્યકમ માં તમામ ગ્રામજનો આગેવાનો સાથ આપશે.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી. સુરેન્દ્રનગર
મૉ.9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.