વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન (WBO) “વસુધૈવ કુટુંબકમ'ના પવિત્ર સિદ્ધાંતને ધ્યેયસૂત્ર બનાવી કાર્ય કરતી સંસ્થા. - At This Time

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન (WBO) “વસુધૈવ કુટુંબકમ’ના પવિત્ર સિદ્ધાંતને ધ્યેયસૂત્ર બનાવી કાર્ય કરતી સંસ્થા.


વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન (WBO) “વસુધૈવ કુટુંબકમ'ના પવિત્ર સિદ્ધાંતને ધ્યેયસૂત્ર બનાવી માનવ ઉત્કર્ષના કાર્યો કરતી સંસ્થા હવે આવનાર સમયમાં ભાષા, પ્રદેશ અને સામાજિક વાડાવંડાના સીમાડાથી આગળ વધી વૈશ્વિક સ્તરે બ્રાહ્મણોને સંગઠીત કરી દેશ તેમજ વિશ્વશાંતિના લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે કાર્યરત છે,

આજરોજ હોટલ તોરણ, ગાંધીઆશ્રમ, અમદાવાદ ખાતે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમેરિકા થી પધારેલ ગ્લોબલ બ્રાહ્મણ કોનફેડરેશન (USA) ના પ્રમુખ શ્રી કેશવ શુક્લાજી તેમજ સેક્રેટરી-જનરલ શ્રી સુભાષ તિવારીજી ના સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,

આ પ્રસંગે વિવિધ બ્રહ્મસમાજના બ્રહ્મ આગેવાનો એ હાજરી આપેલ અને સમાજને નવી દિશા મળે તેમજ સર્વ બ્રાહ્મણ સમાજના હિત માટે ભેદભાવ ભૂલી રાગ - દ્વેષભાવ ભૂલી
બ્રહ્મબંધુઓના ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃતિઑ થાય તેમજ સમાજને એક આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન પ્રોત્સાહિત કરશે અને બ્રાહ્મણોના હૃદય માં ‘વસુધૈવ કુટુંબકમ' ની ભાવના તથા સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ના કાર્ય હરહંમેશ કરતાં રહેશે તેવી પ્રતિજ્ઞા કરી હતી.

શ્રી શશિકાંત તિવારી (પ્રમુખ)
શ્રી દિપક જોષી (સેક્રેટરી જનરલ)
મો. 9328058080
મો. 9824276505

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.